Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

કાલથી રાજ્યવ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ જિલ્લાના અસલાલીથી પ્રસ્થાન કરાવશે

અમદાવાદ :સરદાર સાહેબના એકતા-અખંડિતતાના સંદેશને ઊજાગર કરતી એકતા યાત્રાના પ્રથમ

ચરણમાં ગ્રામીણ-શહેરી ક્ષેત્રના ૧૬ લાખથી વધુ નાગરિકોએ એકતાના સામૂહિક શપથ લીધા હતા ત્યારે હવે :તા. ૧પ થી ર૦ નવેમ્બર દરમ્યાન એકતા યાત્રાનો બીજો તબક્કો શરુ થશે

 મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી રાજ્યવ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ આવતીકાલ ગુરૂવારે તા. ૧પ નવેમ્બરે અમદાવાદ જિલ્લાના અસલાલીથી કરાવશે. 

  વિજયભાઇ રૂપાણી સવારે ૯/૩૦ કલાકે કંકુબા પાર્ટી પ્લોટ પાસે અસલાલી કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાથી આ એકતા યાત્રાને પ્રસ્થાન કરાવશે . 

  આ એકતા યાત્રાનો બીજો તબક્કો આગામી તા. ર૦ નવેમ્બર સુધી રાજ્યમાં યોજાવાનો છે.  

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તા. ર૦ ઓકટોબરથી તા. ર૯ ઓકટોબર સુધી એકતા યાત્રાના પ્રથમ તબક્કામાં પ૯ એકતા રથ દ્વારા ૩૩ જિલ્લાના ૧૭૧ તાલુકાઓ અને પ૪૭૧ ગામડાંઓ તથા ૬ મહાનગરોના ૧૩૧ વોર્ડને આવરી લેવાયા છે. 

રાષ્ટ્રની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબના એકતાના સંદેશને જનજનમાં ઊજાગર કરવા યોજાઇ રહેલી આ એકતા યાત્રાના પ્રથમ ચરણમાં ગ્રામીણ, શહેરી વિસ્તારોના કુલ ૧૬ લાખ પ૩ હજાર નાગરિકોએ દેશની એકતા માટેના શપથ લીધા છે. 

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં અસલાલીથી આવતીકાલે શરૂ થઇ રહેલી એકતા યાત્રાના બીજા ચરણમાં અમદાવાદ જિલ્લાના ૪પ ગામોને પણ આવરી લેવાશે.

(7:35 pm IST)