Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

બનાસકાંઠાની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં પાણી છોડાતા ખેડુતોઓના ચહેરા પર ખુશી છવાઈ

બનાસકાંઠાની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં પાણી છોડાતા ખેડુતોઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.  કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતો હવે દેવ દિવાળીની ઉજવણી સારી રીતે કરી શકશે. સરહદી વિસ્તારમાં આ વર્ષે વરસાદ બહુ જ ઓછો થયો છે. જેના કારણે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં ઢોર અને ખેતી માટે પાણીની ખૂબ જ તંગી હતી. જો કે નર્મદા કેનાલમાં સરકાર દ્ધારા રવિ પાક માટે પાણી છોડવામાં આવ્યું છે. જેથી ખેડૂતોમા ખુશી જોવા મળી હતી. ખેડૂતોએ રવિ સીઝનની વાવણી પણ શરૂ કરી દીધી છે.

(8:42 pm IST)