Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

માંડલ તાલુકાના ઉઘરોજથી દેત્રોજ તાલુકાના દેકાવાડા સુધી ગાંધી સંકલ્પ પદયાત્રા યોજાઇ

સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાની ઉપસ્થિતીમાં ભાજપ હોદ્દેદારો, કાર્યકરો પદયાત્રામાં જોડાયા

વિરમગામ:સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્રભાઈ મુંજપુરાની ઉપસ્થિતીમાં ગાંધી સંકલ્પ પદયાત્રાના બીજા દિવસે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના ઉઘરોજ થી દેત્રોજ તાલુકાના દેકાવાડા સુધી યાત્રા યોજાઇ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની 150 મી જયંતી નિમિત્તે માંડલ તથા દેત્રોજ તાલુકા ભાજપ દ્વારા પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ

  . આ કાર્યક્રમમાં સાંસદ ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા, અમદાવાદ જીલ્લા અધ્યક્ષ આર.સી.પટેલ, મહામંત્રી માધુભાઈ ઠાકોર,  પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, માંડલ તાલુકા તથા દેત્રોજ તાલુકાના બધા સંગઠનના અને ચૂંટાયેલા આગેવાનો,  હોદ્દેદારો, કાર્યકરો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર પદયાત્રા દરમ્યાન જય હિન્દ, ગાંધીજી અમર રહો ના નારા ગુંજ્યા હતા.

(7:08 pm IST)