Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વડોદરામાં કોરોનાનો કહેર યથાવત : નવા 127 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ બે લોકોના મોત

કુલ કેસની સંખ્યા 9793 થઇ : મૃત્યુઆંક 163: વધુ 163 દર્દીઓને ડિસ્ચાર્જ કરતા કુલ .8,267 દર્દીઓ સ્વસ્થ થયા

વડોદરા : વડોદરામાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 127 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ બે લોકોના મોત નિપજ્યા છે વડોદરા જિલ્લામાં કુલ કેસની સંખ્યા 9793 થઇ છે જયારે આજે વધુ બે લોકોના મૃત્યુ થતા મૃત્યુઆંક 163 થયો છે છેલ્લા 24 કલાકમાં વધુ 163 દર્દીઓને ડિસ્ચાર્જ કરતા કુલ .8,267 દર્દીઓ સ્વસ્થ થયા છે 

 વડોદરામાં આજે નોંધાયેલ 127 કેસમાં અકોટા, માણેજા, માંજલપુર, કારેલીબાગ, વાઘોડિયા રોડ, હરણી રોડ,દિવાળીપુરા,છાણી, નિઝામપુરા, સમા, વાસણા રોડ, પ્રતાપનગર, વડસર, આજવારોડ, તાંદલજા, સુભાનપુરા,ગોરવા, કલાલીરોડ, ફતેગંજ, ગોત્રી અને ગ્રામ્યમાં  ડભોઇ, કરજણ,પીપલોદ, ગોરજ,દશરથ, બિલ,ઉંડેરા, સાવલી,સમિયાલા, ડેસર, વાઘોડિયા ,બાજવા, ભાયલીમાં કોરોના કેસ નોંધાયા છે 

(6:34 pm IST)