Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

સુરતના લિબાયતમાં શોભાયાત્રા દરમ્યાન કરંટ લાગતા 12 યુવકો પૈકી એકનું મોત

સુરત:લિંબાયતમાં ગોડાદરામાં ગત રાત્રે શ્રીજીની શોભાયાત્રામાં ઈલેક્ટ્રીક કરંટ લાગતા દાઝી ગયેલા ૧૨ યુવકો પૈકી એકનું મોત નીપજ્યું હતું. દાઝી ગયેલા યુવાનો માટે ૧૦૮ એક કલાક મોડી આવી હોવાના આક્ષેપ મંડળના સભ્યોએ કર્યા હતા.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં ગોડાદરામાં નહેર પાસે આસ્તીક નગરમાં આસ્તીક ટાઈગર ગૃપ દ્વારા ગત રાત્રે પરવત પાટીયાથી વિધ્યનહર્તાની મૂર્તિ લઈને આસ્તીકનગર આવી રહ્યા હતા. ડી.જે.ની તાલે આસ્તીક નગર પહોંચ્યા ત્યારે યુવાનના હાથમાં રહેલો ધ્વજનો પાઈપ ટ્રાન્સફર્મરની ડી.પી.માં અડી જતા બ્લાસ્ટ થયો હતો.

(4:43 pm IST)