Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

વડોદરામાં આપઘાતના બનાવોમાં વધારો:લગ્નનાં3 મહિનામાં યુવાન પરિણીતાએ ફાસો ખાધો

વડોદરા:શહેરમાં આજે આપઘાતના બે બનાવો બન્યા હતા. બન્ને બનાવમાં પતિ પત્ની વચ્ચેનો વિખવાદ કારણભૂત હોવાનું જાણવા મળ્યુ છે. એક બનાવ હરણી વિસ્તારમાં બન્યો હતો જેમાં પ્રેમ લગ્નના સાડા ત્રણ મહિનામાં જ યુવા દંપતિ વચ્ચે વિખવાદ એ હદે પહોંચ્યો કે આજે ૨૦ વર્ષની પત્નીએ ઘરમાં ફાંસો ખાઇ લીધો તો બીજા બનાવમાં ન્યુ સમા રોડ વિસ્તારમાં ઘરમાં ગણપતિ સ્થાપના બાબતે પતિ પત્ની વચ્ચે થયેલ ઝઘડા બાત પતિએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

હરણી મોટનાથ મહાદેવ મંદિર પાછળ આવેલ રાજેશ્વર હોર્મનીમાં પાંચમાં માળે રહેતો આશિષ મલીક ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે. ગત તા.૨૯મી મે ૨૦૧૮ના રોજ મધુ (ઉ.૨૦) નામની યુવતી સાથે તેણે પ્રેમ લગ્ન કરીને લગ્ન નોંધણી કરાવી હતી.

(4:43 pm IST)