Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

અમદાવાદમાં રોગચાળો વકર્યો : વાયરલ ફિવરથી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

છેલ્લા 12 દિવસમાં ઝાડા ઉલટીના 36 ન્યૂમોનિયાના 4, ચિકનગુનિયાના 16, ડેન્ગ્યુના 17 અને કમળાના 63 કેસ નોંધાયા

અમદાવાદ : ગુજરાતમાં  એક તરફ કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. બીજી બાજુ વાયરલ ફીવરના  પગલે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.ત્યારે અમદાવાદમાં વરસાદે વિરામ લેતા રોગચાળો વકર્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં રોજના વાઇરલ ફિવરના અંદાજે 3500 ઓપીડી નોંધાય છે..તો ચાલુ માસમાં સિવિલ હોસ્પિટલમાં કમળાના 63 અને ઝાડા ઉલ્ટીના 36 કેસ નોંધાયા છે.છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસોમાં ઝાડા ઉલટીના 36 ન્યૂમોનિયાના 4, ચિકનગુનિયાના 16, ડેન્ગ્યુના 17 અને કમળાના 63 કેસ નોંધાયા છે.જોકે સ્વાઇન ફ્લૂના પણ 3 કેસ નોંધાયા છે

(12:19 am IST)