Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

રેલવેના ડીવાયએસપી પિયુષ પિરોજીયા અને પાલીતાણાના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા સહિત ૬ ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફને રાષ્ટ્રપતિ મેડલ

રાજકોટ : સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યશસ્વી કામગીરી બદલ જાહેર થતા રાષ્ટ્રપતિ ચંદ્રકોમાં ગુજરાતમાંથી વેસ્ટર્ન રેલ્વેના ડીવાયએસપી અને મૂળ રાજકોટના વતની એવા પિયુષ પિરોજીયા તથા પાલીતાણાના ડીવાયએસપી પ્રતિપાલસિંહ અજીતસિંહ ઝાલા સહિત ૧ર જેટલા અધિકારીઓ અને પોલીસ સ્ટાફને રાષ્ટ્રપતિ  મેડલ જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય જે પોલીસ અધિકારીઓ મેડલ મેળવવા માટે ભાગ્યશાળી બન્યા છે તેમાં  કચ્છ ગાંધીધામના ડીવાયએસપી(એસ.સી./ એસ.ટી.સેલ) ના શબ્બીરઅલી સૈયદઅલી કાજી, પેટલાદના ડીવાયએસપી રજનીકાંત લાખાભાઇ સોલંકી, આણંદના ડીવાયએસપી ભરતસિંહ જાડેજા, આઇબીના પીઆઇ શૈલેષ રાવલ, ગાંધીનગરના વાયરલેસ ડિપાર્ટમેન્ટના નરશેકુમાર સુથાર, અમદાવાદ ટ્રાફીક બ્રાન્ચના એસીપી આકાશ મનહરભાઇ પટેલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ. પ્રતાપજી સુખાજી ચૌહાણ તથા ચેતનસિંહ રાઠોડનો સમાવેશ છે. આની સાથોસાથ સુરત ક્રાઇમ બ્રાન્ચના સત્યપાલસિંહ તોમર અને લલિતકુમાર રતનભાઇ મકવાણા પીએસઆઇ એમટી બ્રાન્ચ વલસાડ પણ ભાગ્યશાળી બન્યા છે.

(8:46 pm IST)