Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સુરતના પુણાગામ વિસ્તારમાં દંપતીનો આપઘાત: મહિના પહેલા પુત્રી તેના પ્રેમી સાથે નાશી ગઈ હતી

કાપડના વેપારીએ સજોડે પંખા સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી

સુરતના પુણાગામ વિસ્તારમાં રેશ્મા રો હાઉસમાં દંપતીએ આપઘાત કર્યો છે કાપડના વેપારી દંપતના આપઘાતની જાણ થતાં લોકોના ટોળાંની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને આપઘાત અંગ તપાસ હાથ ધરી હતી.

આ અંગે જાણવા વમળતી વિગત મુજબ પુણા ગામ વિસ્તારમાં આવેલા રેશ્મા રો હાઉસમાં રહેતા કાપડના વેપારી હરીરામ માંગીલાલ પ્રજાપતિ (ઉ.વ.આ.38)નાએ પત્ની સાથે ઘરમાં જ પંખા સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો.

 

  સ્થાનિકોએ જણાવ્યું હતું કે, એક મહિના અગાઉ વેપારીની દીકરી અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધમાં ઘર છોડીને નાસી ગઈ હતી. જો કે, આ કારણે કે અન્ય ક્યા કારણે દંપતીએ આપઘાત કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:44 pm IST)