Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભરૂચ પાસે રાજકોટના પરિવારને અકસ્‍માત નડ્યોઃ કારચાલકનું મોતઃ બે ગંભીર

ભરૂચઃ નેશનલ હાઇવે-8 પર નબીપુર પાસે સ્કોર્પિયો કારે પલટી મારી હતી. રાજકોટના પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કારચાલકનું મોત નીપજ્યું છે.

આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નેશનલ હાઇવે પર ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આજે સવારે સ્કોર્પિયો કારે (GJ16 AC 3500) પલટી ખાધી હતી. જેથી કારચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી કાર ડિવાઇડર પર ચડી ગઇ હતી. અકસ્માતમાં કારચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ઘટનાની જાણ થતાં બચાવ કાર્ય માટેની એક ટીમ પહોંચી હતી. પોલીસે આ મામલે હાલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

(6:31 pm IST)