Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વલસાડમાં પત્ની પિયરે ચાલી જતા પતિએ ફાસો ખાતા ચકચાર

વલસાડ: વલસાડના પરા વિસ્તાર મોગરાવાડી ખાતે 32 વર્ષીય એક પરિણીત યુવાને સોમવારે પરોઢે પોતાના ઘરની પછવાડે ફાંસો ખાઈ આપઘાત કરતાં પડોશીઓમાં ચકચાર મચી ગઈ હતી. જુવાનજોધ દિકરાએ માતા-પિતાની હાજરીમાં આ અંતિમ પગલું ભરતાં પરિવાર હતપ્રત બની ગયું હતું. પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરાવી પરિવારને સોંપી દીધી હતી. મોગરાવાડીના મોટાતળાવ ફળિયામાં રહેતા મગનભાઈ પટેલને બે દિકરા મનિષ અને જિજ્ઞેશ. બંનેના લગ્ન પણ થઈ ગયા હતા. મોટા મનિષને બે બેબી અને જીજ્ઞેશને એક બાબો અને એક બેબી છે. મનિષ છેલ્લા આઠ-દસ વર્ષથી દુબઈ એક કંપનીમાં નોકરી કરતો હતો.

તેના પિતા પણ દુબઈ નોકરી કરતા હોવાથી તેઓની ઉંમરના લીધે મનિષ તે કંપનીમાં જોડાયો હતો. મનિષ દર વર્ષે બે-ત્રણ મહિના માટે વતન વલસાડ આવતો હતો. ગત માર્ચમાં મનિષ વલસાડ આવ્યો હતો. માતા-પિતા અને નાનોભાઈ-તેની પત્ની અને બાળકો સાથે રહેતા પરિવારમાં મનિષની પત્નીને કંઈક વાતે વાંકુ પડતાં તે તેની બે દીકરીઓને લઈ તેના પિયર મોરાભાગડા ચાલી ગઈ હતી. કેટકેટલાં મનામણાં મનિષે કર્યા પરંતુ તેની પત્ની પિયરેથી પરત સાસરે ના ફરી. મળતી માહિતી મુજબ મનિષ અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો, મનમેળ ન થતાં મનિષને છોડી તેની પત્ની પિયર જતી રહી હતી.

(5:27 pm IST)