Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પરેશ ધાનાણી આવતીકાલથી આમરણાંત ઉપવાસ ઉપર

રાજીવ સાતવ પણ દોડી આવ્યાઃ ભાજપના ધુરંધરો કોંગ્રેસમાં: સાંજે પ.૩૦ વાગ્યે કોંગ્રેસની કોર કમિટીની બેઠક

કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી આવતીકાલે સવારે ૧૧ વાગ્યે ગાંધી આશ્રમ અમદાવાદ ખાતે મગફળીકાંડની તપાસની માંગણી સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી રહ્યાનું જાણવા મળે છેઃ દિલ્હીથી કોંગ્રેસના જનરલ સેક્રેટરી શ્રી રાજીવ સાતવ ખાસ ગુજરાત દોડી આવ્યા છે અને સાંજે પ.૩૦ વાગ્યે આ બાબતે કોંગ્રેસની કોર કમિટીની બેઠક મળી રહી છે

દરમિયાન આજે ભાજપના યુવા નેતા અને રાજકોટના પૂર્વ મેયર શ્રી અશોક ડાંગર, સુરેન્દ્રનગરના ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલ સોમજી ચૌહાણ તથા ભાજપના માજી ધારાસભ્ય (ધંધુકા) અને સંસદીય સચિવ લાલજીભાઇ મેર કોંગ્રેસમાં જોડાઇ ગયા છેઃ ભાજપમાં પણ મોટો ભૂકંપ સર્જાયો છે

જો કે શ્રી પરેશ ધાનાણીને ઉપવાસના સ્થળ અંગે પોલીસ કલીયરન્સ મળ્યું નથી

(12:54 pm IST)