Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગણેશ વિસર્જન-સરઘસની પોલીસ પરમિશન લેવી પડશે :નોટિફિકેશન જાહેર

અમદાવાદ : ગણેશ મહોત્સવ નજીકમાં છે ત્યારે ગણેશ વિસર્જનને લઈને પોલીસે નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં ગણેશ વિસર્જનને લઈને હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરમિશન લેવાની રહેશે

    આ ઉપરાંત સરઘસમાં જોડનારા વ્યક્તિઓના નામ સરનામા અને મોબાઈલ નંબર પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવાના રહેશે. આ ઉપરાંત એક કરતા વધુ જગ્યા પરથી સરઘસ નીકળવાનું હોય તો તેની પરમિશન વિશેષ શાખા કમિશનર કચેરીમાંથી લેવી પડશે.

(9:40 pm IST)