Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજપીપળા વિવિધ વેપારી મંડળ ના બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણય નો ફિયાસકો..?!

કોરોના સંક્રમણ વધતા બપોરે 2 વાગ્યા સુધીજ દુકાનો ચાલુ રાખવા રવિવારે નિર્ણય લેવાયો હતો પરંતુ સોમવારે મુખ્ય માર્ગની અમુક દુકાનો બંધ જ્યારે અમુક ખલ્લી હતી

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : હાલ નર્મદા જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા હોય દુકાનો ખુલ્લી રાખવાના સમય બાબતે સરકારી તંત્ર દ્વારા કોઈજ જાહેરનામું કે નિયમ બન્યા ન હોય અગાઉના જાહેરનામા મુજબ જ નિયમ લાગુ છે ત્યારે રાજપીપળા વિવિધ વેપારી મંડળે રવિવારે મિટિંગ કરી લોકો ના સ્વાસ્થ્ય ની ચિંતા બાબતે તમામ વેપારીઓ એ બપોરે 2 વાગ્યા સુધીજ દુકાની ચાલુ રાખવી ત્યારબાદ બંધ કરવા નો નિર્ણય લીધો હતો.જોકે જાણવા મળ્યા મુજબ આ નિર્ણય થી ઘણા વેપારીઓ નારાજ પણ હતા તેમનું કહેવું હતું કે સમય ઓછો થશે તો ગ્રાહકોની ભીડ વધશે ત્યારે જો લોકહિત માટે નિર્ણય લેવો હોય તો આખો દિવસ દુકાનો બંધ રાખવી જોઈએ અંતે બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા નો નિર્ણય લેવાયો છતાં સોમવારથી લાગુ કરાયેલા આ નિર્ણયનો પહેલા દિવસે જ ફિયાસ્કો થયો હોય એમ લાગ્યું કેમ કે શહેરના સ્ટેશન રોડ પરની કેટલીક દુકાનો બપોર બાદ બંધ જોવા મળી પરંતુ બાકી બજારો ની મોટા ભાગની દુકાનો યથાવત ખુલ્લી રહી હતી.આમ વેપારી મંડળ ના આ નિર્ણય નો ફિયાસ્કો થયો એમ કહી શકાય.
             આ બાબતે આજે કેટલાક વેપારીઓ એ જણાવ્યું કે વેપારી મંડળે જે નિર્ણય લીધો હતો એના કરતા આખો દિવસ જ દુકાનો બંધ કરવા નિર્ણય લેવાયો હોત તો તેની     લગભગ બધા વેપારીઓ અમલ કરત પરંતુ બપોરે 2 વાગ્યા સુધી નો નિર્ણય ઉલ્ટાનો કોરોના સંક્રમણ વધારે એમ હોય લોકો બપોર સુધી જ બજાર ખુલ્લું હશે તેમ જાણી લોકો પડાપડી કરત જેમાં સોસીયલ ડિસ્ટન્સ પણ ન જળવાતું અને કોરોના સંક્રમણ પણ વધવાની શક્યતાઓ વધી હોય માટે અમુક વેપારીઓ એ આ બાબતે સહકાર આપ્યો ન હતો જ્યારે કાપડ ના વેપારીઓ એ સાંજે ચાર વાગ્યા સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી.

(10:04 pm IST)