Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગાંધીનગર સે-24માં પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

ગાંધીનગર:શહેરના સે-ર૪માં રહેતી યુવતિના લગ્ન પલિયડ ખાતે થયા હતા. જયાં તેના પતિ દ્વારા અવારનવાર શારીરીક, માનસિક ત્રાસ આપીને ઘરેણાં અને ભરણપોષણ પેટે આપેલા પૈસા પરત માંગવામાં આવ્યા હતા. એટલું નહીં તેણીના માતાપિતાને પણ જાનથી મારી નાંખવાની ધમકી તેણીએ એસિડ ગટગટાવી લીધું હતું. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જે સંદર્ભે તેની ફરિયાદના આધારે સે-ર૧ પોલીસે તેના પતિ સામે ગુનો નોંધ્યો છે

અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સે-ર૪ ડબલડેકર મકાન નં.૩૬૮માં રહેતા દક્ષાબેન પ્રજાપતિના લગ્ન પાંચ વર્ષ અગાઉ પલિયડ ખાતે રહેતા વિજયભાઈ મથુરદાસ પ્રજાપતિ સાથે થયા હતા. તેમના લગ્ન સમાજના સમુહલગ્નમાં યોજાયા હતા અને લગ્ન જીવનથી એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. દહેજ બાબતે તેમના પતિ દ્વારા અવારનવાર તેમને ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

(5:38 pm IST)