Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કાલે CBSE દ્વારા ધો.૧૦નું પરીણામ

રાજકોટનાં ૯૦૦ મળી ૧૧ લાખથી વધુ છાત્રોનુ પરિણામ જાહેર થશે

રાજકોટ તા. ૧૪ : સીબીએસઇના ધો.૧ર ના પરીણામો જાહેર થઇ ગયા બાદ હવે વિદ્યાર્થીઓ ધો.૧૦ ના પરીણામોની રાહ જોઇ રહ્યા છે. ત્યારે દેશના શિક્ષણ પ્રધાન રમેશચંદ્ર પોખરિયાલે ટવીટ કરીને માહિતી આપી છે કે સીબીએસઇ એટલે કે સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજયુકેશનના ધો.૧૦ ના વિદ્યાર્થીઓનુંપરીણામ ૧પ મી જુલાઇના રોજ બુધવારે જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે સેન્ટ્રલ બોર્ડના ધો.૧૦ ના પરીણામ ૧૩ જુલાઇના રોજ જાહેર થયા હતા તેના બે દિવસ બાદ એટલે કે ૧પમી જુલાઇના રોજ ધો.૧૦ નુ પરીણામ જાહેર કરવામાં આવશે. રાજકોટના ૯૦૦ છાત્રો મળી ૧૧ લાખ છાત્રોને ધો.૧૦નું પરીણામ જાહેર થશે.

(4:31 pm IST)