Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

નરસંડા અને અલીણામાંથી પોલીસે હારજીતનો જુગાર રમતા 14 જુગારીઓને ઝડપ્યા

નડિયાદ:તાલુકાના નરસંડા અને મહુધા તાલુકાના અલીણા નજીક બે જુગારધામો પર પોલીસે દરોડો પાડી કુલ ૧૪ શખ્સોને પોલીસે પકડી પાડી તેમની પાસેથી ૭૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
આ અંગે મળતી માહિતી મુજબ ચકલાસી પોલીસ મથકના પીએસઆઈ ડી. સી. રાઓલને એવી માહિતી મળી હતી કે નડિયાદ તાલુકાના નરસંડાના ઈન્દિરા નગરીમાં રહેતા વિઠ્ઠલભાઈ શનાભાઈ પરમારના મકાનમાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમાય છે. જેથી તેમણે સ્ટાફ સાથે દરોડો પાડતાં સાત જુગારીઓ પકડાઈ ગયા હતાં. જેમાં જાવીદમીયા ઐયુબમીયા મલેક, આબીદમીયા કાલુમીયા મલેક, લીયાકતમીયા રસુલમીયા મલેક, મનુભાઈ મંગળભાઈ સોલંકી, જાકીરમીયા સરફુમીયા મલેક, અશોકભાઈ ડાહ્યાભાઈ પરમાર અને લાલાભાઈ મંગળભાઈ ચુનારાનો સમાવેશ થાય છે. પોલીસે આ જુગારીઓ પાસેથી રૂ.૫૩,૦૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 
બીજા બનાવમાં મહુધા તાલુકાના અલીણામાં વાણીયા ફળીયા વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમાતો હોવાની હકીકત મહુધા પોલીસને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. જોકે પોલીસે સાત જુગારીઓને પકડી પાડ્યાં છે. જેમાં સલીમ મૈયુદ્દીન મલેક, નાસીર હૈદર મલેક, સદ્દામહુસેન ઐયુબમીયા મલેક, યાસીનમીયા દાદમીયા મલેક, સદ્દામ મુસ્તુફા મલેક, મહંમદઐયાઝ ઈમામમીયા મલેક, મુત્તુલભાઈ રસીકભાઈ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ૧૯,૫૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

(5:16 pm IST)