Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

અંક્લેશ્વરમાં રથયાત્રાના રૂટ ઉપર પોલીસની ફ્લેગમાર્ચ :સુરક્ષા વ્યવસ્થાની તમામ બાબતોનું નિરીક્ષણ

 

અંકલેશ્વરમાં કાલે ભગવાન જગન્નાથ વાજતે ગાજતે ભગવાન નગર ચર્યાએ નીકળશે. રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે  ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે પોલીસ તંત્ર પણ સુરક્ષા માટે સજ્જ થઈ ગયું છે.આજે સાંજના સમયે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગમાર્ચ યોજાયી હતી. જેમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ બાબતોનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

(11:00 pm IST)