Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કેજરીવાલ અને ઈશુદાન વચ્‍ચે લંબાણ મંત્રણા : ‘આપ' પાર્ટીમાં જોડાઈ ગયા?

ગુજરાતના જાણીતા પત્રકાર અને વીટીવીના મનોમંથન કાર્યક્રમથી ગુજરાતભરના લાખો ખેડૂતો અને સામાન્‍ય પ્રજાજનના હૃદયમાં સ્‍થાન મેળવી ચૂકેલા ઈશુદાન ગઢવી આજે આ લખાય છે ત્‍યારે અમદાવાદ ખાતે સર્કીટ હાઉસમાં આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સાથે મીટીંગ કરી રહ્યા છે : બપોરે ૧૨ વાગ્‍યે કેજરીવાલની પત્રકાર પરીષદમાં ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય તેવી જાહેરાત થવાની સંભાવના છે. ચર્ચાતી વિગતો મુજબ આગામી ગુજરાતની ચૂંટણીમાં આપ પાર્ટી ઈશુદાનને મુખ્‍યમંત્રીના ચહેરા તરીકે સ્‍વચ્‍છ પ્રતિભા રૂપે રજૂ કરે તેવી પૂરી સંભાવના છે.

 

(11:25 am IST)