Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગુજરાતનો વધુ સપૂત શહીદ :મેમદપુરનો જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીરમાં શહીદ

બનાસકાંઠાના વડગામના મેમદપુરામાં ગમગીની પ્રસરી: જવાનનો નશ્વર દેહને વતન ખાતે લાવવા તજવીજ

અમદાવાદ : ગુજરાતનો વધુ સપૂત શહીદ થયો છે. બનાસકાંઠાનો આર્મી જવાન શહીદ થયો  જેના કારણે પરિવારજનોમાં કરૂણ આક્રંદ છવાયો છે. બનાસકાંઠાના વડગામના મેમદપુરા ગામમાં હાલ શોકનો માહોલ સર્જાયો છે. ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા વડગામના મેમદપુરનો જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડ ફરજ દરમ્યાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે.

ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા બનાસકાંઠાનો જવાન શહીદ થયો છે. મેમદપુરના રાજપૂત સમાજના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે મા ભોમની રક્ષા કરી રહ્યાં હતા. જે દરમિયાન બેખડ ધસી પડતા તેઓ શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના પીંછવાડામાં ભેખડ ઘસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.જવાન જસવંતસિંહ શહીદ થતાં તેમના નશ્વર દેહને વતન ખાતે લાવવા તજવીજ હાથ ધરાઈ છે.

જવાનના શહીદ થયાના સમાચાર મળતા જ સમગ્ર ગામમાં ગમગીની પ્રસરી ગઇ છે. હાલ તેમના મૃતદેહને ટુંક સમયમાં જ માદરે વતન લાવવા માટે કવાયત હાથ ધરાઈ રહી છે. આર્મીમાં ફરજ બજાવતો બનાસકાંઠાના વડગામના મેમદપુરા ગામનો જવાને શહીદી વહોરી લીધી છે.

(9:16 am IST)