Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

આણંદ નજીક વિદ્યાનગરમાં આદિવાસી યુવાન પર મોડીરાત્રે જીવલેણ હુમલો

આણંદ:નજીક આવેલા વિદ્યાનગરના ઈસ્કોન મંદિર પાસે ગઈકાલે રાત્રીના સુમારે બે મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં એક આદિવાસી શખ્સને અપમાનિત કરીને ધારીયું તેમજ ભરવાડી ડાંગોથી જીવલેણ માર મારતાં તેને ગંભીર હાલતમાં કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે હત્યા તેમજ રાયોટીંગનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ભરવાડોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

 

પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાનગરના હરિઓમનગર ખાતે રહેતો કૌશલભાઈ ઉર્ફે મેડીયો જયંતિભાઈ વસાવાએ બે મહિના પહેલાં ધોબીઘાટ પાસે રહેતા સુરેશ ભરવાડ તથા ડાખર ભરવાડની સાથે મિત્રની બોલાચાલીને લઈને સમાધાન કરાવવા માટે ગયો હતો જ્યાં તેને પણ માથાકુટ થઈ હતી. જે બાબતે સુરેશભાઈ અને ડાખર ભરવાડ રીસ રાખતા હતા. ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે કૌશલ ઉર્ફે મેડીયો પોતાના મિત્રો સાથે બાઈક પર સવાર થઈને મોટા બજાર ખાતે આવેલા ઈસ્કોન મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાંકડા ઉપર સુરેશભાઈ ભરવાડ, ડાખર ભરવાડ તથા બીજા ભરવાડો બેઠા હતા. તેમની સામે જોતાં સુરેશભાઈ ભરવાડે કહેલ કે, તુ મારી સામે કેમ જુએ છે, જેથી મેડીયાએ કહ્યું હતુ કે, એમાં શુ થઈ ગયું. તો સુરેશ અને ડાખર ભરવાડે એકદમ ગુસ્સે થઈને ગાળો બોલી જણાવ્યું હતુ કે, તુ આજથી બે મહિના અગાઉ પણ મારી સાથે બોલાચાલી કરી હતી. જાતિવાચક અપશબ્દો બોલીને તારી ઓકાત શુ છે તો અમારી સામે બોલી શકે છે. જેથી મેડીયાએ જાતિવાચક અપશબ્દો બોલવાની ના પાડતાં સુરેશ ભરવાડ ધારીયુ તથા બીજા ભરવાડો ભરવાડી ડાંગો લઈને આવી ચઢ્યા હતા અને મેડીયા ઉપર તુટી પડ્યા હતા

(5:53 pm IST)