Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલ પર ગંભીર આરોપઃ દર્દીનું મૃત્યુ થયું છતાં હોસ્પિટલે રૂપિયા માટે વેન્ટિલેટર પર રાખ્યા

પૈસા પડાવવા માટે મૃત વ્યક્તિની સારવાર ચાલુ રાખવામાં આવી હોવાનો પરિવારજનોએ આરોપ મુક્યો

અમદાવાદમાં રાજસ્થાન  હોસ્પિટલમાં દર્દીનું એક દિવસ પહેલા મૃત્યુ થયું હોવા છતાં પૈસા માટે દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હોવાનો આરોપ છે. પૈસા પડાવવા માટે મૃત વ્યક્તિની સારવાર ચાલુ રાખવામાં આવી હોવાનો પરિવારજનોએ આરોપ મુક્યો હતો

  લીવરની બીમારીથી પીડાતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે દર્દીના મૃત્યુબાદ મૃતદેહ આપવામાં આવ્યો ન હતો. રાજસ્થાન હોસ્પિટલ દ્વારા મૃતદેહ આપવામાં ના આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી.પરિવારનો આરોપ છે કે દર્દીનું મૃત્યુ થયું હોવા છતાં રૂપિયા 35 હજારની દવાઓ મંગાવવામાં આવી હતી. દીકરાના મૃતદેહ માટે માતાએ હોસ્પિટલમાં આક્રંદ કર્યુ હતુ. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 1.50 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. 33 વર્ષીય ચિરાગ વ્યાસનું રાજસ્થાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતુ.

રાજ્યમાં અનેક વાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે દર્દીના પરિવારજનોની માંગ છે કે હોસ્પિટલ પર કડક કાર્યવાહી કરવામાં આવે.

(7:55 pm IST)