Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રસોઇના મસાલામાં ભેળસેળ સામે ઝુંબેશઃ ઉત્પાદકો - વેચાણકારોને ત્યાં દરોડા

લોકોને ગુણવત્તાયુકત મસાલા અપાવવા સરકાર કટીબધ્ધ : ડો. કોશિયા

રાજયના નાગરિકોને ગુણવત્તાયુકત મરચું, હળદર, ધાણા પાઉડર જેવાં મસાલાઓ મળી રહે તે માટે રાજય સરકાર કટિબદ્ઘ છે તેમ ફુડ સેફટી કમિશ્નર શ્રી એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું.  
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યાનુંસાર રાજયમાં મરચું, હળદર, ધાણા પાઉડર જેવાં મસાલાઓની સીઝન ચાલે છે ત્યારે નાગરિકોને મસાલાઓ ભેળસેળ મુકત મળે તે જરૃરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ બાતમીના આધારે તંત્ર દ્વારા અંકલેશ્વર ખાતે મરચા પાઉડરની તપાસ કરવામાં આવી હતી. આ મરચું પાઉડર હલકી કક્ષાનું તેમજ ઉત્પાદક તરીકે ગુજરાત બહારનું સરનામું દર્શાવેલ હોવાથી આ મરચામાં ભેળસેળની પ્રબળ શંકા જણાઇ હતી. જેથી મે.પન્ના સેલ્સ એજન્સી, અંકલેશ્વર ખાતેથી ઙ્કશ્રી સ્પેશ્યલઙ્ખ બ્રાન્ડનું મરચું પાઉડરનો નમુનો લેવામાં આવ્યો હતો. બાકીનો ૬૯ કિલો (રૃ.૬૯૦૦) જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે.
આ પેઢી ખાતે આ મરચું પાઉડર મે.જૈન મસાલા પ્રોડકટસ, નવસારી દ્વારા સપ્લાય કરવામાં આવ્યુ હોવાની હકીકત ધ્યાને આવતાં ફુડ સેફટી કમિશ્નરની ફુડ ટીમે તાત્કાલિક નવસારી ખાતે મે.જૈન મસાલા પ્રોડકટસ ઉદ્યોગનગર, નવસારી પહોંચીને મોડી સાંજે તપાસ હાથ ધરી હતી. આ ઉત્પાદક પાસેથી મરચું પાઉડર, હળદર પાઉડર અને ધાણાં પાઉડરના કુલ ત્રણ નમૂના ઓ ફુડ સેફટી એકટ મુજબ લેવામાં આવ્યા હતા અને બાકીનો જથ્થો ૨૦૩૪ કિલો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ ૪ નમૂના ઓ લઇ કુલ ૨૧૦૩ કિલો (રૃ.૨,૩૩,૬૬૦) સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નમૂના ઓના  પૃથ્થકરણ અહેવાલ મળ્યાં બાદ આગળની કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવાયુ છે.

 

(11:30 am IST)