Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

નડિયાદમાં બસ મથક વિસ્તારમાં સામાન્ય અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ

નડિયાદ:સોમવારના રોજ નડિયાદમાં હાર્દસમા વિસ્તાર  બસ મથક નજીક સામાન્ય અકસ્માત સર્જાયો હતો. જેમાં નડિયાદથી નવાગામ જતી એસ.ટી બસ નં.જી.જે.૧૮ વાય.૫૮૦૩ના ચાલકે બસ મથક નજીક સંતરામ રોડ ઉપર એક સાયકલ સવારને અડફેટે લીધો હતો. બનાવમાં સાયકલ ચાલકને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી

જ્યારે એસ.ટીના ચાલક પોતાની બસ બનાવ સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.જોકે બનાવમાં યુવક બચી જતાં તેના માથેથી મોટી ઘાત ટળી હતી.જ્યારે સાયકલ એસટીના અગળના વ્હિલમાં આવી જતાં લોચો વળી ગઈ હતી.

(5:24 pm IST)