Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સુરતના મહિધરપુરામાં મેનેજર હીરાનો જથ્થો સગેવગે કરી ફરાર થઇ જતા ફરિયાદના આધારે તપાસ શરૂ

સુરત: શહેરના મહીધરપુરા હીરાના કારખાનામાં મેનેજરે આપેલા હીરામાંથી કેટલોક જથ્થો સગેવગે કરી દીધો હતો. ટુકડે ટુકડે મેનેજર દ્વારા ૨૯.૬૦ લાખ રૂપિયાના હીરાની ચારી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ મહિધરપુરા પોલીસ મથકે નોંધાઈ છે.

સુરતના દિલ્હીગેટ બેલ્જીયમ ટાવરના નવમા માળે ઈટાલીયા એક્ષપોર્ટ નામની હીરાની પેઢી આવી છે. હીરાની પેઢીમાં ક્લીનીગ વિભાગમા મેનેજર તરીકે જયેશ દેવરાજ બોદરા ( રહે૯૩ સરીતા સોસાયટી, ચીકુવાડી નાના વરાછા, સુરત, મુળ રહેપચ્છે, તા. ગારિયાધાર, જિ. ભાવનગર) કામ કરે છે. હીરાની પેઢીના માલિક વલ્લભભાઈ ઈટાલિયાના તેની કામગીરી પર વિશ્વાસ હતો તેથી કામગીરી તેની જવાબદારીથી સોંપતા ંહતા

(5:23 pm IST)