Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ઓરીસ્સાના અસરગ્રસ્તો માટે ૫ કરોડનો ચેક અર્પણ કરતા ભૂપેન્દ્રસિંહઃ બંછાનિધિ પાની હાજર

ગાંધીનગરઃવાવાઝોડાના કારણે ઓરીસ્સામાં સર્જાયેલી તબાહી અને ભારે નુકશાનના પગલે ગુજરાત સરકારે અસરગ્રસ્તોને મદદરૂપ બનવા ઓરીસ્સા સરકારને રૂ.૫ કરોડની સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી આ સહાય ઓરિસ્સા સરકારને આપવામાં આવી છે. તે અંતર્ગત ગઇકાલે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના કમિશનર શ્રી બંછાનિધિ પાનીની ઉપસ્થિતિમાં ગઇકાલે ભુવનેશ્વર ખાતે મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકને રૂબરૂ મળી અર્પણ કરેલ તે પ્રસંગની તસ્વીર.

(3:52 pm IST)