Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ગુજરાતની ઉન્નતી અને સર્વાગી પ્રગતીની પ્રાર્થનાઃ વિજયભાઇ રૂપાણી અને અંજલીબેન રૂપાણી મધ્યપ્રદેશના ધાર્મિક મંદિરોના દર્શનેઃ ગુજરાતી સમાજના પ્રબુધ્ધ નાગરીકોની સભાને સંબોધન

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગઇકાલથી મધ્યપ્રદેશમાં ભાજપના ઉમેદવારોના ચુંટણી પ્રચાર અભિયાનમાં જોડાયા છેઃ શ્રી વિજયભાઇ રૂપાણી સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી પણ વેગવંતો પ્રચાર કરી રહયા છેઃ ગઇકાલે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાઓ સંબોધ્યા બાદ આજે જુદા જુદા ધાર્મિક સ્થળોના દર્શને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતી અંજલીબેેન રૂપાણી ગયા હતા. ઉજજૈનના મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરીને ગુજરાતની ઉન્નતી અને સર્ગાગી પ્રગતીની પ્રાથના કરી હતી. આ ઉપરાંત ભારત માતા મંદિર, હરસિધ્ધી માતા ન૦ઃદર,કાળ ભૈવર મંદિર, મણીભદ્ર મંદિરના દર્શન કર્યા હતા. ત્યાર બાદ ઉજ્જૈનના ગુજરાતી સમાજના પ્રબુધ્ધ નાગરીકોની સભાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સંબોધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચુંટણીના ૭માં તબકકકામાં ૧૯ મી મેએ યોજાનાર ૮રાજયોની પ૯ સંસદીય બેઠકો માટે મધ્યપ્રદેશમાં પણ મતદાન યોજાનાર છે. જેના માટે ગઇ કાલે બપોરે વિજયભાઇ રૂપાણી અને શ્રીમતી અંજનીબેન રૂપાણી મધ્યપ્રદેશ જવા રવાના થયા હતા.

(2:44 pm IST)