Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ફરારી નલીન કોટડીયાના દાવામાં કેટલો દમ ? : પિયુષ સાવલીયાનું અપહરણ બીટકોઇન્‍સના ફરીયાદી શૈલેષભટ્ટે કરેલું કે નહીં ? દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા સુરતથી પિયુષને જ સીઆઇડી હેડકવાર્ટરમાં લવાયો

રાજકોટ :  ત્રણ ત્રણ સમન્‍સ છતાં સીઆઇડી સમક્ષ જેઓ હાજર ન થતા જેમની સામે સીઆઇપીસીની કલમ ૭૦ મુજબ વોટન્‍ટ નીકળ્‍યું છે તેવા પૂર્વે ધારાસભ્‍ય  નલીન કોટડીયા આ અગાઉ ધડાકા જેવું નિવેદન કરી સુરતનાં પિયુષ સાવલીયાનું ફરીયાદી શૈલેષ ભટ્ટે અપહરણ કર્યાનો દાવો કરેલો  જો કે નલીન કોટડીયાનાં નિવેદન બાદ પિયુષ સાવલીયાએ પોતાનું અપહરણ ન થયાનું જણાવતા નલીન કોટડીયાના દાવાનો છેદ ઉડી ગયેલ.

આ છતાં ડીજીપી કક્ષાનાં સીઆઇડી વડા આશિષ ભાટીયાએ તપાસમાં કોઇ જાતની કચાસ કે શંકા-કુશંકા ન રહે તે માટે પિયુષની પુછપરછ કરી દુધની દૂધ અને પાણીનું પાણી કરવા નિર્ણય કર્યાનું ચર્ચાઇ છે. આ નિર્ણયનાં ભાગ રૂપે જ પિયુષ સાવલીયાને સુરતથી ગાંધીનગર લવાયાનું સુત્રો જણાવે છે.

 

(10:07 pm IST)