Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલ છેલ્લા બે દિવસમાં 11 દર્દીઓના મોત : આ સિઝનમાં કુલ 26 જેવા દર્દીઓના મોત થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ કેસ માં સતત વધારો થઈ રહ્યો છે સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો હોય, જેમાં રાજપીપળા વડીયા પેલેસ ખાતે આવેલી કોવીડ હોસ્પિટલ અને કેર સેન્ટર્ ખાતે દર્દીઓ વધી રહયા છે. આ સિઝન માં રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં દાખલ  દર્દીઓ પૈકી છેલ્લા બે દિવસમાં 11 દર્દીઓના મૃત્યુ થયા હતા જ્યારે આ સિઝન માં કુલ - 26 જેવા દર્દીઓ ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમીકઅધિકારી ડો.કશ્યપે જણાવ્યું હતું કે ઓક્સિજન એકદમ ઘટી ગયા બાદ દર્દીઓ આવતા હોય છે જેના કારણે મોત નો આંકડો વધે છે.માટે સારવાર માટે વહેલીતકે લવાઈ એ ખાસ જરૂરી છે .

(12:51 am IST)