Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

અલ્પેશ ઠાકોરને જેનો પ્રચાર કરવો હોય તેનો કરી શકે છે તેનાથી ભાજપને કોઈ ફેર પડશે નહી. : ઓમ માથુર

માત્ર ચૂંટણીમાં જનમત મેળવવા મંદિરોમાં જવુ યોગ્ય નથી.

અમદાવાદ :લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારની રણનીતિ ઘડવા માટે ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી

   બેઠક બાદ ઓમ માથુરે મીડિયાને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરના પ્રચારને લઇને જણાવ્યુ હતુ કે લોકતંત્રમાં દરેક વ્યક્તિને ચૂંટણી લડવા. પ્રચાર કરવાનો અધિકાર છે. ભાજપ કોઈ વ્યક્તિ પર આધારરાખી ચૂંટણી લડતો નથી. અલ્પેશને જેનો પ્રચાર કરવો હોય તે કરે તેનાથી ભાજપને કોઈ ફેર પડશે નહી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર વાકપ્રહાર કરતા જણાવ્યુ કે માત્ર ચૂંટણીમાં જનમત મેળવવા મંદિરોમાં જવુ યોગ્ય નથી.

(9:14 pm IST)