Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સુરતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ફાસો ખાઈ જીવનનો અંત આણ્યો

સુરત:ની એસવીએનઆઈટી કોલેજમાં બીટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શુક્રવારે સાંજે હોસ્ટેલના રૃમમાં ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. પપ્પા મારે ઘરે આવવું છેએવો ફોન કર્યાના ગણતરીના સમયમાં તેણે આપઘાત કરી લેતા પરિવારજનો ઘેરા આઘાતમાં ડૂબી ગયા છે. હાજરી ઓછી હોવાને કારણે ડિપ્રેશનમાં હોય તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ દિલ્હીના વતની વિજેન્દ્રસિંગ દબાસ પત્ની, બે પુત્રી અને પુત્ર યુજવેન્દ્રસિંગ (ઉં.વ.20) સહિતના પરિવાર સાથે નવસારીમાં રહે છે. તેમની નાની પુત્રી શહેરની એસવીએનઆઈટી કોલેજમાં એમએસસીનો અભ્યાસ કરી રહી છે. જ્યારે પુત્ર યુજવેન્દ્રસિંગ પણ એસવીએનઆઈટીમાં જ બીટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. દરમિયાન અહીંની સ્વામી વિવેકાનંદભવન હોસ્ટેલમાં રૃમ નં. સી/218માં રહેતા યુજવેન્દ્રસિંગે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં પશુચિકિત્સક તરીકે ફરજ બજાવતા પિતા વિજેન્દ્રસિંગને સાંજે યુજવેન્દ્રસિંગે ફોન કર્યો હતો અને તેણે ઘરે આવવાની વાત કરી હતી, ત્યારે વાતોથી ડિપ્રેશન જણાતા પુત્રના ખબરઅંતર કાઢવા તેમણે ત્યાં જ અભ્યાસ કરતી પુત્રીને ફોન કર્યો હતો. ત્યારબાદ ભાઈને મળવા પહોંચેલી બહેનને તેની લાશ જોવા મળી હતી. બનાવને પગલે મિત્રવર્તુળ કોલેજમાં દોડી આવ્યાં હતા.

(4:43 pm IST)