Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

વ્હોરા સમાજે આગવી ભાત પાડી છે : રૂપાણી

અમદાવાદ,તા.૧૩: ગુજરાતમાં વસતા વ્હોરા સમાજના લોકોએ તેમની આગવી પારંપરિક રીતભાતથી સમાજમાં આગવી ભાત પાડી છે વેપારી મનોવૃતિનો આ સમાજ શાંત, પ્રેમાળ અને માયાળુ સ્વભાવથી અન્ય સમાજમાં પણ પ્રતિપાત્ર બન્યો છે એમ રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે. સુરત શહેરમાં આવેલી અલ જામિયા યુનિવર્સિટીની શરૂ થયેલી પરીક્ષાને અનુલક્ષીને વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદના સાહેબની સુરત મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈયદના સાહેબની મુલાકાત લીધી હતી. આ વેળા તેમણે પરીક્ષામાં ઉપસ્થિત પરીક્ષાર્થીઓ સાથે સંવાદ સાધતા અલ જામિયા યુનિવર્સિટીમાં આપવામાં આવતા શિક્ષણની સાથે મૂલ્યનિષ્ઠ, મૂલ્યવર્ધક અને નૈતિક શિક્ષણ આપવામાં આવે છે.

(10:14 pm IST)