Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

અલ્પેશ ઠાકોરના રાધનપુરમાં પીવાના પાણીનો પોકાર :ચૂંટણી સમયે ખોટા વાયદા અપાતા હોવાની ચર્ચા

કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના રાઘનપુર વિસ્તારમાં પાવીના પાણીનો પોકાર શરૂ થયો છે. અલ્પેશ ઠાકોરે ઘારાસભ્ય બન્યા તે પહેલા વિસ્તારને પાણીની સમસ્યા કયારેય નહીં રહે તેવુ અનેક ભાષણોમા કહયું હતું. પરંતુ જીત્યા પછી પણ વિસ્તારમા પાણીની સમસ્યાનો હલ થયો નથી.
 
રાધનપુરના રામનગર સોસાયટી, સોનલ નગર સોસાયટી કે અન્ય સોસાયટીઓમાં આજે પણ પીવાનુ પાણી આવતુ નથી. નેતાઓ માત્ર ચૂંટણી સમયે ખોટા વાયદા આપાતા હોવાની ચચૉઓ થઈ રહી છે. ત્યારે કેવા નેતા ઊપર વિશ્વાસ કરીએ તો કાયમી પાણી સમસ્યા હલ થાય તેવા અનેક સવાલો ઊભા થઈ રહયા છે. ત્યારે વિસ્તારમાં પ્રાથમિક સુવિઘા મળી રહે તેવી લોક માંગ ઊઠી છે.

(10:13 pm IST)