Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

આણંદના નૂતનનગરમાં પરણિત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી નિકાહ પઢી શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા મહિલાએ પોલીસનો સહારો લીધો

આણંદ: શહેરના નુતનનગરમાં રહેતા કાઉન્સિલરના પરિણીત પુત્રએ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેણીની સાથે નિકાહ પઢ્યા બાદ શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને તલાક માટે દબાણ કરતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર સલાટીયા ખાતે રહેતી ફરિયાદી અફસાનાબેન સને ૨૦૧૦માં ઈદના મેળા દરમ્યાન નુતનનગરમાં રહેતા ઈમરાન અનવરભાઈ વ્હોરાના સંપર્કમાં આવી હતી. જ્યાં બન્ને વચ્ચે પ્રેમ થઈ જતાં તેણીએ ગત ૧૪-૩-૧૬ના રોજ ઈમરાન સાથે લગ્ન કર્યા હતા. જો કે ઈમરાને પોતે પરિણીત અને બે સંતાનોના પિતા હોવાની વાત છુપાવી હતી. લગ્નના થોડા સમય બાદથી જ પતિ, સોતન રૂબીનાબેન, સસરા અનવરભાઈ, સાસુ જુબેદાબેન, નણંદો નસીમબેન અને હીનાબેન દ્વારા અવાર-નવાર તેણી પર ત્રાસ ગુજારીને તલાક આપી દેવા માટે દબાણ કરવાનું ચાલુ કર્યું હતુ. જેથી કંટાળી જઈને અફશાનાબાનુએ આણંદના મહિલા પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:44 pm IST)