Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ગાંધીનગરના કચરાનો પેથાપુરમાં નિકાલના નિર્ણયથી ભાજપમાં ભૂકંપ :18 નગરસેવકોએ રાજીનામાં ફગાવ્યા

પેથાપુરમાં ડમ્પીંગ સાઈટ બનાવવા નિર્ણય કરતા નગરસેવકોનો વિરોધ :ગૃહમાં મુદ્દો ઉઠાવવા કોંગ્રસે ખાતરી આપી

ગાંધીનગર :પેથાપુર નગરપાલિકામાં ભાજપમાં ભૂકંપ સર્જાયો છે નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.સરકારે ગાંધીનગરના કચરાના નિકાલ માટે પેથાપુરમાં ડમ્પીંગ સાઈટ બનાવવાનો નિર્ણય કરતા નગરસેવકોએ જબરો વિરોધ નોંધાવ્યો છે સરકારની નીતિના વિરોધમાં નગરપાલિકાના ભાજપના 18 જેટલા નગરસેવકોએ રાજીનામાં આપ્યાં છે. ભાજપના સભ્યોએ નગરપાલિકાની કચેરીએ ભેગા થઈને સરકારના નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો હતો .

   મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે કચરના નિકાલ માટે પેથાપુરમાં ડમ્પીંગ સાઈટ બનાવવાનો નિર્ણય કર્યો જે વિરોધનું કારણ બન્યો. ભાજપના સભ્યોએ ભેગા થઈને નિર્ણય સામે નગરપાલિકાની કચેરીમાં મંગળવારે વિરોધ વ્યક્ત કર્યો. મુદ્દે પણ રાજકારણ જોવા મળ્યું. કોંગ્રેસના ધારાસભ્ય સી. જે ચાવડા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ રાજીનામા આપનારા નગરસેવકોને ખુલ્લુ સમર્થન આપ્યું અને વિરોધમાં હાજર રહ્યાં.

   વિધાનસભામાં કોંગ્રેસના સભ્ય સી.જે.ચાવડાએ ડમ્પીંગ સાઈટનો મુદ્દો ગૃહમાં ઊભો કરવાની ખાતરી પણ આપી છે. જો કે નગરસેવકોએ પક્ષાપક્ષીના રાજકારણને બાજુએ મૂકીને મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

(10:40 pm IST)