Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વ્યાજમાં સહાયતા હેઠળ ૨૦૮૨ એકમોને મંજુરી

સૌરભ પટેલે ગૃહમાં માહિતી આપી

અમદાવાદ,તા.૧૪ : ઉદ્યોગમંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં એમએચએમઈ એકમોને વ્યાજ સહાય યોજના હેઠળ ૨૦૮૨ એકમોને મંજુરી આપવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં એમએમએમઈ એકમોની વ્યાજ સહાય યોજના હેઠળ અરજીઓ સંદર્ભેના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં આ યોજના હેઠળ  ૩૪૧૧ એકમોની અરજીઓ મળી હતી અને ૨૦૮૨ મંજૂર કરાઈ છે.

આ સહાય યોજના હેઠળ અમદાવાદ શહેર અને શહેર બહાર માટે સબસીડી અને વ્યાજ સહાય અપાય છે. શહેરની અંદરના એકમોમાં માઈક્રો એકમોમાં પાંચ વર્ષ સુધી ૨૫ લાખ સુધીમાં ૫ ટકા, શહેર બહારના એકમોમાં ૭ ટકા અને અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને મહિલાઓને વધુ ૧ ટકો વ્યાજ સહાયમાં લાભ આપવામાં આવે છે.

 

(9:18 pm IST)