Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

આણંદ-ઉમરેઠ રોડ અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

આણંદ:આણંદ-ઉમરેઠ રોડ ઉપર આવેલા ઊંટખરી ગામ પાસે આજે વહેલી સવારના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે ઉમરેઠ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર ઊંટખરી ગામે રહેતો દશરથભાઈ પરમાર (ઉ. વ. ૩૨)આજે વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારે ખેતરમાં પોતાના પશુઓને ઘાસચારો નીરવા માટે જવા નીકળ્યા હતા. ગામના બસસ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. દશ વાગ્યા સુધી દશરથભાઈ ઘરે પરત ના આવતાં પરિવારજનોેએ શોધખોળ કરી હતી જેમાં તેમને અકસ્માત થયાનું માલુમ પડતાં જ ઘટનાસ્થળે ઘસી ગયા હતા. જ્યાંથી પોલીસ મૃતદેહને ઉમરેઠની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ અંગે પોલીસે અજાણ્યા વાહન વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(7:11 pm IST)