Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સૈયદના સાહેબ ઉજ્જૈનમાં : રાજયપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત

રાજકોટ : દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના વ મૌલાના અબુલ જાફરૂસ્સાદીક મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) ઉજ્જૈનમાં હતા. મધ્ય પ્રદેશના ગર્વનર આનંદીબેન પટેલે સૈયદના સાહેબની મુલાકાત લીધી હતી. સૈયદના સાહેબે સ્વચ્છતા અભિયાનની તાકીદ કરી હતી. દેશમાં સ્વચ્છતા અભિયાનનું કામ વધી રહ્યુ છે. સૈયદના સાહેબે આનંદીબેનનું શાલ આપી સન્માન કર્યુ હતું. આ મુલાકાત દરમિયાન મેમ્બર ઓફ પાર્લામેન્ટના મેમ્બરો ડો. મોહન યાદવ અને જગદીશ પાંચાલ સાથે હતા. આ સિવાય સ્ટેટ કેબીનેટના મિનિસ્ટર ઉજ્જૈનના મેયર કલેકટર, સુપ્રિડેન્ટ ઓફ પોલીસ અને બીજા રાજકીય મેમ્બરો સૈયદના સાહેબની મુલાકાત કરી હતી. એમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડ્સવાળા (મો.૯૪૨૮૮ ૯૪૭૫૨) જણાવે છે.

(4:30 pm IST)