Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડુતે આપઘાત કર્યો : પોલીસે ફરિયાદ ના નોંધતા હોબાળો

વ્યાજખોરોમાં પોલિસકર્મીનુ પણ નામ પણ બહાર આવ્યું: ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો : લાશ સ્વીકારવાનો ઇન્કાર

 

સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડુતે આત્મહત્યા કરી છે. 15થી 20 ટકા વ્યાજ ના ભરી શકનાર ખેડુતે આખરે કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. સેલફોસની ગોળીઓ ખાઇ ખેતરમાં જ ખેડૂતે આપઘાત કરી લીધો છે. વ્યાજખોરોમાં પોલિસકર્મીનુ પણ નામ પણ બહાર આવ્યું છે

 પોલિસ ફરીયાદ નોધવા પરીવારજનોની માંગ કરી છે. જો કે પોલીસે ફરિયાદ ના નોંધતા હોબાળો મચાવ્યો છે અને ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો છે. અને જ્યાં સુધી ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

(11:53 pm IST)