Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રાજપીપળા ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ: વીએચપી અને સંઘના હોદ્દેદારો સાથે ભાજપ આગેવાનો દ્વારા શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : રાજપીપળા સફેદ ટાવર ખાતે વીએચપી અને આર એસ એસના હોદ્દેદારો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં પુલવામાં શહીદ થયેલા જવાનો તેમજ નાંદોદ તાલુકાના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ પર જઈ રહેલા જવાન યોગેશભાઈ વસાવાને શ્રદ્ધાંજલિ આપી હતી.આ શ્રદ્ધાંજલિ માં વિશ્વ હિન્દુ પરિસદ/આર એસ એસના હોદ્દેદારો સાથે ભાજપના આગેવાનોએ પણ શહીદવિરોને કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
 

(10:16 pm IST)