Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ડેડીયાપાડામાં નરેગાના કામ બાબતે રિસ રાખી લગ્નના વરઘોડામાં એક પર હુમલો કરી મારી નાખવાની ધમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના પાનુંડા ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન એક પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થઈ છે.

 

  પ્રાપ્ત માહિતી અનુસાર પાનુડા ગામમાં રહેતા રોશનભાઇ નાનુભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તે ગામમાં રાજકુમાર રમેશભાઇ વસાવાના લગ્નમાં ગયેલ તે વખતે સતીષ ભાઇ ભગાભાઇ વસાવા ,રાકેશભાઇ ભંગાભાઇ વસાવા, સતીષભાઇ રૂપસીંગભાઇ વસાવા (ત્રણેય રહે. પાનુડા તા. દેડીયાપાડા જી.નર્મદા )તથા અર્જુનભાઇ વિરજીભાઇ વસાવા (રહે ખરચીપાડા તા દેડીયાપાડા જી.નર્મદા )એ નરેગાના કામ બાબતેની રીસ રાખી રોશન વસાવા વરઘોડામાં નાચતા હતા તે વખતે સતીષભાઇ રૂપસિંગ વસાવાએ ધક્કો મારતા ધક્કો કેમ મારે છે તેમ કહેતા તેની સાથે ના સતીષભાઇ ભગાભાઇ વસાવા,રાકેશભાઇ ભંગાભાઇ વસાવા અને અર્જુનભાઇ વિરજીભાઇ વસાવા ત્યાં આવી રોશનભાઈને વરઘોડા માંથી બાજુમાં લઇ જઇ ઢાકીપાટુનો માર મારી ગાળો બોલી ત્યારબાદ સતીષ વસાવા એ નજીકમાં પડેલ લાકડુ માથામાં મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરતા આ બાબતે રોશન વસાવા ની ફરિયાદ ના આધારે પોલીસે ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(7:11 pm IST)