Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

મકર સંક્રાતિએ અમદાવાદમાં 90થી વધુ પક્ષીઓ ઘાયલ

પાલડી, મણિનગર, જુહાપુરા જેવા વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓની સંખ્યા વધુ

અમદાવાદ ;મકરસંક્રાતિએ પતંગ રસિયાઓને મજા પડી જાય છે પરંતુ પક્ષીઓ માટે સજા સાબિત થઈ રહી છે.એકલા અમદાવાદમાં અંદાજે 90થી વધારે પક્ષીઓ થયા છે જ્યારે અનેક પક્ષીઓના મોત થયા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

   જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદના પાલડી, મણિનગર, જુહાપુરા જેવા વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓની સંખ્યા વધુ જોવા મળી હતી પક્ષીઓ બચાવવાના 10થી વધારે કોલ ફાયર બ્રિગેડને આવ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.અમદાવાદમાં ઘાયલ પક્ષીઓમાં કબૂતર, સમડી બાઝ, ક્રેન અને ઢેલ જેવા પક્ષીઓ ઘાયલ થયા છે.જીવદાય પ્રેમીઓએ ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી

(7:39 pm IST)