Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ભાલેજ રોડ રસ્તા પર ઉભેલી પિયાગો પાછળ રીક્ષા ભટકાઈ

આણંદ: ભાલેજ રોડ ઉપર આવેલા રાહતલાવ બસસ્ટેન્ડ પાસે આજે સવારના સુમારે ઊભેલી પીયાગોને પાછળથી આવી ચઢેલી સીએનજી રીક્ષાએ ટક્કર મારતાં પલટી મારી ગઈ હતી જેમાં ત્રણ મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતા તેઓને સારવાર માટે આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે ભાલેજ પોલીસે રીક્ષાના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર રાહતલાવ ખાતે રહેતા શીવાભાઈ શંકરભાઈ તળપદા આજે પુનમ હોય ડાકોર રણછોડરાયજી મંદિરે દર્શન કરવા જવાનું હોય રાહતલાવ બસસ્ટેન્ડ પાસે આવ્યા હતા. જ્યાં આણંદ તરફથી એક પીયાગો રીક્ષા નંબર જીજે-૨૩, એક્સ-૧૬૦૫માં આવી ચઢતાં તેમા બેઠા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે સીએનજી રીક્ષા નંબર જીજે-૨૩, ઝેડ-૫૨૨૨એ આવીને પીયાગોને ટક્કર મારતાં પીયાગો પલટી મારી ગઈ હતી જેમાં શીવાભાઈ તથા વિમળાબેન કાન્તીભાઈ રાઠોડ અને મંજુલાબેન કનુભાઈ રાઠોડ (રે. બોરીયાવી)દબાઈ જવા પામ્યા હતા. દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ત્રણેયને બહાર કાઢીને ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે આણંદ મોકલી આપ્યા હતા.

(5:11 pm IST)