Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

તારાપુરમાં નજીવી બાબલે ધારિયા વડે હુમલો

તારાપુર: શહેરના કાનાવાડા રોડ ઉપર ગઈકાલે સાંજના સુમારે કૌટુંબિક સગાઈના મનદુ: બાબતે એક યુવાનને માથામાં ધારીયાનો ઝટકો મારીને કરપીણ હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલી મહિલાની તપાસ કરતી તારાપુર પોલીસે ધરપકડ કરીને ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાનાવાડા રોડ ઉપર આવેલી રાઈસ મીલ પાસે રહેતા અને ડ્રાઈવીંગ કરીને જીવન ગુજરાન ચલાવતા જગદીશભાઈ ઉર્ફે રાજુભાઈ નવઘણભાઈ વાઘેલાને નજીકમાં રહેતા શંકરભાઈ ઉર્ફે લાલો પુંજાભાઈ પરમાર સાથે કૌટુંબિક સગાઈના મુદ્દે ત્રણેક મહિના પહેલા મનદુ: થયું હતુ. જેને લઈને અવાર-નવાર તકરારો થતી હતી. ગઈકાલે જગદીશભાઈ ઉર્ફે રાજુભાઈ પુત્ર કરણ (. . ૧૪)સાથે પાનના ગલ્લાએથી પરત આવી રહ્યા હતા ત્યારે શંકરભાઈ ઉર્ફે લાલો ધારીયું લઈને આવી ચઢ્યો હતો અને તુ અમારી વાત માનતો નથી તેમ કહીને શંકરભાઈ ઉર્ફે લાલાએ પોતાની પાસેનું ધારીયું જગદીશભાઈને માથામાં મારી દેતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં ફસડાઈ પડ્યા હતા. કરણ વચ્ચે પડતાં સીતાબેન પુંજાભાઈ પરમારે લાકડી લઈને આવી તેને બરડાના ભાગે ઝાપોટો મારી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા જગદીશભાઈ ઉર્ફે રાજુભાઈને સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા તારાપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત પામેલા જાહેર કર્યા હતા. અંગે તારાપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સીતાબેન પુંજાભાઈ પરમારની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થઈ ગયેલા શંકરભાઈ ઉર્ફે લાલાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:10 pm IST)