Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રાજયના વિવિધ અખાડાઓ અને સંપ્રદાયોના સંતો-મહંતોનું ર૦મીએ મહાસંમેલન

ગાંધીનગરના પેથાપુર-મહુડી રોડ સ્થિત કૈલાશધામ ખાતે : સંમેલનમાં દ્વારકાધીશના શંકરાચાર્યજી વિશેષ ઉપસ્થિત રહેશે અને સાધુ-સંતોને આશિર્વાદ આપશે

જુનાગઢ, તા. ૧૩ : આગામી તા. ર૦ના રોજ ગાંધીનગર ખાતે અખિલ ભારત સાધુ સમાજ આયોજીત ગુજરાત પ્રદેશ મહાસંમેલન યોજાશે. આ પ્રસંગે દ્વારકા પીઠાધિશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદજી વિશેષ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગરના પેથાપુર-મહુડી રોડ સ્થિત કૈલાશધામ ખાતે આગામી શુક્રવારના રોજ યોજાનાર મહાસંમેલનમાં ગુજરાતભરના વિવિધ સંપ્રદાય તેમજ વિવિધ અખાડાઓના ૭૦૦થી વધુ સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે દ્વારકા પીઠના જગતગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદજી સાધુ-સંતોને આશિર્વચન પાઠવશે. સંમેલન અંતર્ગત સાંજે ૪ કલાકે ધર્મસભા યોજાશે. બાદમાં ભોજન સમારોહ યોજાશે. આ તકે અખિલ ભારત સાધુ સમાજ પ્રમુખ મહંત મુકતાનંદજી મહારાજ તેમજ અખિલ ભારત સાધુ સમાજ મહામંત્રી સ્વામી કેશવાનંદજી સહિતના વરિષ્ઠ સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. આ સંમેલન અંગે કાર્યક્રમ સંયોજક અર્જુનસિંહ રાઠોડ સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:17 pm IST)