Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

લુણાવાડામાં બ્યુટીપાર્લરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો : સંચાલિકા જ નીકળી હત્યારી

મહિસાગરના લુણાવાડાના વરધરી રોડ ઉપર બ્યુટીપાર્લરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે ,બ્યુટી પાર્લરમાં મળેલા યુવકના મોત પાછળ ખુદ પાર્લરની મહિલા જ જવાબદાર હોવાનું ખુલ્યું છે. પોલીસની પ્રાથણિક તપાસમાં જ મહિલાએ યુવકની હત્યા કર્યાનું કબુલાત કરી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, લુણાવાડાના વરધરી રોહ ઉપર આદર્શ વિદ્યાલયની બહાર આવેલા બ્યુટી પાર્લરમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારેલી લોહીથ લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટના સ્થાનિક લોકોમાં અનેક તર્ક વિતર્કો ફેલાયા હતા

   મળતી વિગત મુજબ લુણાવાડાના વરધરી રોડ પર આદર્શ વિદ્યાલયની બહાર આવેલ શાંતિવન એપાર્ટમેન્ટ નીચે આવેલ દિયા બ્યુટી પાર્લરમાં શંકાલ્પદ હાલતમાં યુવક મળી આવ્યો હતો. જોકે, 108 એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ યુવકે દમ તોડ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે બ્યુટી પાર્લર પર સાંજના સમયે મૂળ બાલાસિનોરનો રહેવાસી 35 વર્ષીય અંશુભાઈ ચૌધરી આવી પહોંચ્યો હતો. અને અચાનક બ્યુટી પાર્લરમાં ઘૂસ્યો હતો .જ્યાં ડુંગરીની રહેવાસી અને બ્યુટી પાર્લરની સંચાલિકા અંકિતા મુકેશભાઈ પટેલ એકલી હતી. અચાનક આવી ચઢેલા અંશુ ચૌધરીને જોઈને અંકિતા ડઘાઈ ગઈ હતી. તેણે અંશુને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું.

અંશુ ચૌધરી દારૂના ચિક્કાર નશામાં ચૂર હોવાથી તે અંકિતાની કોઈ વાત માનવા જ તૈયાર ન હતો. છતાં અંકિતાએ તેને તું જતો રહે નહીં તો કોઈ આવીને જોઈ જશે તેમ સમજાવતી રહી પણ અંશુ કોઈ વાતથી સંમત ન હતો. અંકિતા પોતાના પતિ સાથે વરધરી રોડ પર જૂના કાળવા રહેતી હતી પરંતુ ત્યાં તેને અવાર નવાર પોતાના પરિવારજનો સાથે ખટરાગ ચાલતો રહેતો હતો.

જેના કારણે તેના પતિ મુકેશ ભાઈ એ પોતાના ગામગોરપુરા લાટ ,ધોળી ડુંગરી રહેવા જવાનો નિર્ણય લીધો હતો.

   પોલીસને આરોપી અંકિતા પટેલે જણાવ્યું હતું કે, અંશુ ચૌધરીને હું ઓળખું છું તે બાલાસિનોરનો રહેવાસી છે તેની સાથે મારે ભાઈ બહેન જેવા સંબંધો હતા. પરંતુ આજે તે અચાનક મારે ત્યાં આવ્યો ત્યારે હું બાજુની દુકાનમાં હતી પરંતુ તે આવ્યો છે.

તેની મને કોઈજ જાણ ન હતી પરંતુ હું અંદર ગઈ ત્યારે તે લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. જેથી પહેલાતો મે રૂ દ્વારા તેની છાતીના ભાગેથી નીકળતું લોહી બંધ કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ લોહી બંધ ન થતાં આખરે મે 108ને બોલાવી હતી. પરંતુ 108 આવતા પહેલાજ તેનું મોત નિપજ્યું હતું.

થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અંશુ ચૌધરી વારંવાર દિયા બ્યુટી પાર્લર પર આવતો હતો. પરંતુ તેના અંકિતા સાથેના સંબંધો અંગે પૂછતાં જણાવેલ કે અવાર નવાર ત્યાં આવતો હતો. તેના અંકિતા સાથેના સંબંધો શંકાસ્પદ જ હતા તેવી વાત જાણવા મળી હતી.

(12:52 pm IST)