Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો : નવા 37 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 31 દર્દીઓ સાજા થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક 10.090 : કુલ 8.16.608 લોકોએ કોરોનાને મ્હાત કર્યો : આજે વધુ 4.26.516 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 10 કેસ, સુરતમાં 8 કેસ, વડોદરામાં 6 કેસ, નવસારી અને વલસાડમાં 4-4 કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ, અને તાપીમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 226 એક્ટીવ કેસ : શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છેકોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 37 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ  31 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે  જોકે આજે નવા કેસમાં વધારો નોંધાયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 37 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 31 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.608 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 4.26.516 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 7.41.80.817 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 226 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર અને 220 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.608 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 37 કેસમાં અમદાવાદમાં 10 કેસ, સુરતમાં 8 કેસ, વડોદરામાં 6 કેસ,નવસારી અને વલસાડમાં 4-4 કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ,અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:20 pm IST)