Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પુછપુરા ગામમાં મહીલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના પૂછપુરા ગામના નિતાબેન વજેશભાઇ તડવી (ઉમર વર્ષ ૩૫)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા તિલકવાડા સરકારી દવાખાનામા તથા રાજપીપળા સરકારી દવાખાનામાં પ્રાથમીક સારવાર કરાવી વધુ સારવાર માટે શ્રી પ્રમુખ સ્વામી હોસ્પીટલ ડભોઇ ખાતે લાવતા સારવાર દરમ્યાન મોત થયું હતું.પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

(12:08 am IST)