Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સુરતની લાજપોર જેલમાંથી ફરાર આરોપી પોલીસના જાપ્તામાંથી ફરાર થઇ જતા વધુ તપાસ હાથ ધરવામાં આવી

ધંધુકા: પોલીસ મથકના એક લૂંટના ગુનામાં કોર્ટમા રજૂ કરીને એસટી બસ મારફતે સુરત પરત જતી વખતે મધ્યપ્રદેશના બે આરોપીઓ બે પોલીસ જવાનોને ધક્કો મારીને હથકડી સાથે ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતની લાજપોર જેલમાં કેદ રાજુભાઈ રેવસિંગ અલાવા (ભીલ)અને નીલેષ શંકરભાઈ અલાવા (ભીલ)ને ધંધુકા પોલીસ મથકના એક લૂંટના કેસમાં હાજર રાખવના હોય સુરતથી એએસઆઈ જશવંતભાઈ રણછોડભાઈ એચસી ચિંતનભાઈ, પોકો. ધનરાજસિંહ તેજમ એલઆરડી ભરતસિંહ ગઈકાલે સવારે સુરતથી બન્નેને લઈને ધંધુકા આવ્યા હતા. જ્યાં કોર્ટમાં રજૂ કર્યા બાદ સાંજના સુમારે ગઢડા-સુરત બસમાં બન્નેને લઈને સરત જવા નીકળ્યા હતા.

(6:52 pm IST)