Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વડોદરામાં કોરોનાની સારવાર દરમ્યાન વધુ પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા:71 દર્દીઓ રિકવર

વડોદરા:શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે વધુ પાંચ દર્દીઓના મોત થયા હતા બીજી તરફ આજે કોરોનાના ૯૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા તો ૭૧ દર્દીઓ રિકવર થતા આજે રજા પણ આપવામાં આવી હતી.

વડોદરામાં કોરોનાની પ્રથમ લહેરનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. પોઝિટિવ કેસની સાથે કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા પણ ઘટી રહી છે. આજે વડોદરાના શહેરના ચાર અને ગ્રામ્યના એક મળીને પાંચ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા તે તમામની અંતિમ વિધિ કોવિડ ગાઇડ લાઇન પ્રમાણે કરવામાં આવી હતી.

(6:49 pm IST)